Palli Information

Palli Information

જય માં વરદાયિની

દેવોની પ્રથમ પૂજનીય માં વરદાયિની ના એજ બ્રહ્માજી ના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી. વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.

માં વરદાયિની માતાજી ઉપર ની અપાર શ્રદ્ધા પણ ભવિષ્યમાં આવનારી પેઢી આ રૂપાલ ના વિશ્વવિખ્યાત પલ્લી અને માં વરદાયિની માતાજી ના સુવર્ણ જડિત ગોખ દર્શન કરી ને શ્રદ્ધાળુઓ ના હદયકમલ માં માં વરદાયિની માતા નિવાસ કરે તેજ શુભ આશય થકી મંદિર અને માતાજી ના પ્રચાર પ્રસાર અર્થે આ દાન મંદિર ના ટ્રસ્ટીગણ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે. હવે આ મંદિર ના નવ સુશોભિત ગૃહ મંદિર ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન પણ બહુ જ થોડા દિવસોમાં થવાનું છે. શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તજનો પોતાનું આર્થિક અનુદાન મંદિર ના નવનિર્માણ કાર્ય અર્થે આપી શકે છે.

Palli Information